હોળી અને ધુળેટીની શુભકામનાઓ – Holi Greetings

ઈશ્વર બહુ સમજદાર છે. માણસની સર્વ પ્રકારની જરૂરિયાતો પહેલા આ ધરતી પર પૂરી કરી પછીજ માણસ ને મોકલ્યો. જો માણસને રંગો વગર ચાલતું હોત તો શા માટે આટલા બધા (કમ્પ્યુટર મુજબ ૩ ઉપર ૨૫૬ ઘાત) રંગો પરમેશ્વર બનાવેત? વસંતનું આગમન થાય, આખું ગુલમહોર પીળું થઇ જાય, કેશુડાનું ઝાડ કેસરી ચાદર ઓઢી લે અને કડવો લીમડો પણ સફેદ ફૂલોથી છવાઈ જાય એ સમયે જો કોઈ વ્યક્તિ આ રંગોથી તરબતર ના થઇ જાય તો સમજવાનું કે કા તો એ ભગવાન શંકર કરતા પણ મોટો તપસ્વી છે અથવા તે આંધળો છે. કુદરતના રંગે રંગાઈ જવાનો અને નિર્દોષ પ્રેમથી ભીંજાઈ જવાનો દિવસ વર્ષમાં એક જ વાર આવે છે. અને એતો કોઈ ને ખબર નથી કે આવા કેટલા વર્ષો આપણા માટે હજુ બાકી છે. માટેજ જ્યાં સુધી ભગવાને આ તક આપી છે ત્યાં સુધી મન મુકીને (પણ મગજ મુકીને નહિ) તેને માણીલો.

હોળી અને ધુળેટીની શુભકામનાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top