કશુજ ન કરવાનો આનંદ

અત્યારે દિલ્હી જઈ રહ્યો છું. કોઈ પણ પ્રકારની મુસાફરીમાં હું ક્યારેય એકલો નથી જતો. પુસ્તોકો સદા મારી સાથે હોય છે. ભલે પછી એ વિદેશ પ્રવાસ હોય કે ગામમાજ કોઈ વ્યક્તિને મળવા જવાનું હોય. ત્યાં પણ શક્ય હોય ત્યાં સુધી એકાદ પુસ્તક કે છાપું મારી સાથે રાખું છું. જો તેને મળવા માટે બહાર રાહ જોવી પડે તો કામ લાગે માટે. હવે આમાં મને મોબાઈલ અને ૩જી પણ બહુ કામ લાગે છે. નવરા પાડો અને મનગમતું પેજ ખોલી વાંચીલો.

પણ આજે ટ્રેઈનમાં એક નવો વિચાર આવ્યો. કઈ ના કરું તો કેમ રહે? આમતો હું આવું ક્યારેય કરતો નથી અને કોઈને સલાહ અપાતો પણ નથી. પણ ક્યારેક કોઈ અન્ય સજીવ કે નિર્જીવ સથવારા વગર માત્ર પોતાની સાથે રહેવાનો અનુભવ પણ કરવા જેવો છે. ઘણી વખત એવું બને છે કે માણસ પોતાની જાતથી બચવા માટે ટીવી સંગીત પુસ્તકો કે કોઈને કોઈ અન્ય સાથ માટે સતત ઝંખતો હોય છે. કારણકે પોતાની જાત તો પોતાના વિષે બધું જાણે છે. એટલે સતત પોતાનાથી દુર ભગવાનો માણસ પ્રયત્ન કરે છે.

પણ આનંદ અને સત્યનો જો સમન્વય કરવો હોય જીવનમાં તો પોતાની સાથે પણ ક્યારેક થોડો સમય કાઢવો જોઈએ. શરૂમાં થોડું અઘરું પડશે. વર્ષોથી અંદર પડેલા કામ ક્રોધ લોભ અને મોહ જપવા નહિ દે. પરંતુ આને સારી નિશાની સમજી પ્રયત્નો ચાલુ રાખવા. કચરો બધો બહાર નીકળી જશે અને બસ આનંદ રહેશે. પછી કોઈ બહારના આધારની જરૂર નહિ પડે. કશુજ ન કરવાનો આ આનંદ પણ લેવા જેવો છો.

(લખ્યા તારીખ: ૧૮ ઓક્ટોબર ૨૦૧૧)

2 thoughts on “કશુજ ન કરવાનો આનંદ”

  1. તમારા બ્લૉગ પર જરા નિરાંતે સમય વીતાવી ફરી આ કોમેન્ટ લખું છું.

    સહેતુક, અર્થયુક્ત પ્રવૃત્તિમાં રહેવું સારું છે. આમ છતાં આપની વાત સાચી છે , પ્રશાંત ભાઈ. વ્યક્તિએ થોડો સમય પોતાની જાત સાથે રહેવું જોઇએ. જીવનના બે આયામ ગતિ અને સ્થિતિને કેવી રીતે સમતોલિત કરવા તે શીખવું જોઇએ. બુદ્ધિશીલ વ્યક્તિઓ માટે તે વ્યક્તિગત હોય છે. જો આપણામાં વિવેક હોય તો મારા માટે શું સારું તે હું જાણી શકું, આપના માટે શું સારું તે આપ જાણી શકો.

    પ્રશાંતભાઈ. તમે નિયમિત લખતા હો તો! તમારી ભાવનામય ચિંતનશક્તિ મને પ્રભાવિત કરે છે.

    1. prashantmamtora

      આભાર હરીશભાઈ, પ્રયત્ન કરું છું કે વિચારોને લખતો રહું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top