ભારતના આધ્યાત્મિક આદર્શો

મોટા ભાગના વિશ્વને તેનું ધાર્મિક શિક્ષણ ભારત પાસેથી મળ્યું છે. સતત સંઘર્ષ અને ઘર્ષણ વચ્ચે પણ આધ્યાત્મિક જ્ઞાનની પોથીઓનો ભાર વાહન કરીને, સદીઓ સુધી ભારત પોતાના આધ્યાત્મિક આદર્શોને વળગી રહ્યું છે.

– સર્વપલ્લી રાધાક્રિશ્નન

ડો. રાધાક્રિશ્નનની આ વાત હમણાં વાંચી અને અચાનક એક પ્રશ્ર્ન થયો કે એ કયા આધ્યાત્મિક આદર્શો છે જે ભારતને ટકાવી રાખે છે? એ કયા આદર્શો છે જે ભારતને આખા વિશ્વને માર્ગદર્શન આપવાનું સામર્થ્ય આપે છે?

સત્ય, અહિંસા, ત્યાગ, કરુણા, ઈશ્વર પરત્વે શ્રદ્ધા, સમતા જેવા અનેક અનેક હોઈ શકે. કયો આદર્શ વધુ સારો એવી કોઈ સરખામણી પણ ના થઇ શકે. પરંતુ મને લાગે છે અમુક આધ્યાત્મિક આદર્શો હવે ફરી બેઠા કરવાની જરૂર છે.

શિક્ષણ, વિજ્ઞાન અને સંશોધનનો આદર્શ
હજારો હજારો ઋષિમુનિઓએ આજના પશ્ચિમને પણ ભૂ પીવડાવે એવી શોધો કરી છે. આટલું વાંચીને જો છાતી ગર્વથી ફૂલી ગઈ હોય તો એટલું ચોક્કસ કહીશ કે આપણી ગાડી આર્યભટ્ટે શોધેલા શૂન્ય પર છેલ્લા બે હાજર વર્ષથી અટકી ગઈ છે. સ્વયં રામ અને કૃષ્ણ પણ શિક્ષણ મેળવા ઘર-બાર છોડી નીકળી પડતા એવા આ દેશમાં આજે શિક્ષણને નામે માત્ર અને માત્ર માહિતી વેચવાનું અને ગોખવાનું કામ ચાલે છે. અને એ પણ બહુ સીમિત લોકો માટે. શિક્ષણ અને વિજ્ઞાન એ ભારતની આધ્યાત્મિકતાનો મૂળભૂત આદર્શ છે. જો ના હોત તો રામ ગુરુકુળનો અભ્યાસ પૂરો કાર્ય પછી પણ “ઇન્ટર્નશિપ” કો કે “માસ્ટર્સ” કારમાં માટે વિશ્વામિત્ર સાથે ના જાત અને આધુનિક મિસાઈલ સાથે હૂબહૂ સામ્ય ધરાવતા શસ્ત્રોનો અભ્યાસ ના કરેત.

નવસર્જન, પરિવર્તન અને પ્રગતિનો આદર્શ:
ઇન્દ્રપ્રસ્થ બનાવવા માટે ખાંડવવનને એક વાર બાળવું પડે છે. કૃષ્ણથી વધુ પરિવર્તનશીલ કોણ હોય શકે? નથી જોયતું મારે તમારું મથુરા, હું મારી દ્વારિકા જાતે બનાવાઇશ। દરિયાની વચ્ચે બનાવીશ, સોનાની બનાવીશ। આ પરિવર્તન અને પ્રગતિ એ પણ આધ્યાત્મિકતા જ છે.

સંપત્તિના સર્જનનો આદર્શ:
કહેછે ભારત “સોનાની ચીડિયા” હતું. તો શું અમસ્તું બન્યું હતું? દરિયો ના ઓળંગાય એવા વહેમીલા નિયમોતો છેલ્લા એક હાજર વર્ષમાં બન્યા. એ પહેલા આ ભારતે આખું વિશ્વ ધમરોળી નાખેલું. દુનિયાના ખૂણે ખૂણે વહાણો ભરી ભરી વેપાર કરવા જનારી અને સંપત્તિના ઢગલા કરનારી આ ભારતીય આધ્યાત્મિકતા જ હતી એતો સત્યનારાયણની કથામાં પણ સાધુ વાણીયાની વાર્તામાં દેખાઈ આવે છે. અંધશ્રદ્ધા અને વહેમોએ, આરબોને ભારતમાં આવી વેપાર કરવાનો માર્ગ ખોલી આપ્યો. જે છેવટે 1000 વર્ષની ગુલામી અને પતન  નોતરી લાવ્યો. બાકી આ કોઈ ભિક્ષુકનો દેશ નથી. ચક્રવર્તી  ભરતથી લઈને ચાણક્ય, બુદ્ધ, ભૃતહરી અને ભામાશાનો આ દેશ છે જ્યાં લોકો જિંદગી આખી સત્યના પંથે રહી ધનના અંબાર ખડકતા, મહાનતમ સામ્રાજ્ય ઉભા કરતા અને સમય આવ્યે બધુજ પડતું મૂકી આગળ ચાલી નીકળતા. એમાંથીજ તો ચીન, જાપાન સહીત આખું દક્ષિણ એશિયા જે માને છે બૌદ્ધ ધર્મનો ઉદય થયો.

આ આધ્યાત્મિક આદર્શો તરફ પાછા વાળવું જરૂરી છે, જો ભારતમાતાને જગદ્ગુરુ તરીકે ખરેખર જોવી હોય ક્યારેય તો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top