જીન્દગી અને જવાબદારી

માદા ઝીરાફ હમેશા ઉભા ઉભા બચ્ચાને જન્મ આપે છે. તેથી જન્મ ની સાથેજ બચ્ચું જમીન પર જોરથી પછડાય છે. ત્યાર બાદ તરતજ માતા પોતાના બચ્ચાને ચાટે છે, વહાલ કરે છે અને પછી તેની પાછળ જઈ એક લાત મારે છે. તેથી બચ્ચું ઉભું થઇ ચાલવાની કોશિશ કરે છે. પરંતુ તાજુજ જન્મેલું બચ્ચું અશક્તિને લીધે ફસડાઈ પડે છે. ફરી માતા એક લાત મારે છે અને બચ્ચું ઉભું થઇ ચાલવાની કોશિશ કરે છે. આમ માતા વહાલ કરતી જાય છે અને લાત મારતી જાય છે. આમ ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી બચ્ચું ટટ્ટાર ઉભું રહેતા અને ચાલતા ના શીખી જાય.

માણસ જાત માં કદાચ આવી માતા નિર્દય કહેવાય નહિ? પરંતુ ઝીરાફ આવું એટલા માટે કરે છે કે જો બચ્ચું ત્યાં ને ત્યાજ પડ્યું રહે તો તરતજ કોઈ હિંસક પ્રાણી આવી તેનો કોળીઓ કરી જશે. તેને બચાવી શકાય તે માટે એક માત્ર રસ્તો તેને પોતાની મેળે સક્ષમ કરવાનો છે. માટે ઝીરાફ કદાચ પીડા અનુભવની ને પણ પોતાના બાળક ને લાતો મારી પગભર કરે છે.

આ બાબત આપણે માણસ જાતે ખાસ શીખવા જેવી છે. ખાસ કરીને આપણી ભારતીય પ્રજાએ. નાનપણથી પાણી માગે તો દૂધ હાજર થાય અને સવારે ઉઠતાની સાથેજ બ્રશ પર પેસ્ટ પણ માતા લગાડીને આપે એવા ઉછેરમાં કાતો બાળકો સાવ નબળા બને છે અથવા છાકટા થઇ ફરતા રહે છે. બંને માં તે પોતાને, કુટુંબને અને સમાજને માત્ર અને માત્ર નુકશાનજ કરે છે.

બાળકને પોતાની જવાબદારીઓનું ભાન થાય તે જરૂરી છે. યોગ્ય ઉમરે પોતાને નડતા પ્રશ્નો પોતે જ ઉકેલે તે શીખવવું પણ જરૂરી છે. અને પોતના જીવનમાં જે કઈ બને છે તે સર્વ માટે તે પોતેજ જવાબદાર છે નહિ કે બીજા તે સમજાવવું પણ અત્યંત જરૂરી છે. ઝીરાફનું બચ્ચું જો પોતાની જગ્યા પર પડ્યું રહે અને કોઈ પ્રાણી તેને નુકશાન પહોચાડે તો??? ઝીરાફની માતા તેને એમ નહિ કહે “હત…. પેલા સિંહ ને હત….. તેણે તને આવું કર્યું….. તેતો સાવ ગાંડો છે…. હત……”.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top